





સુરેન્દ્રનગરના કવિ શ્રી જગદીશ વ્યાસ ૪૭ વર્ષની નાની ઉંમરે કેન્સર સામે ઝઝુમીને મૃત્યુ પામ્યા. તેમના બે કાવ્યસંગ્રહો ‘પાર્થિવ’ અને ‘સૂરજનું સત’. અત્રે તેમનું એક વ્યંગ્ય-કવન પ્રસ્તૂત છે.
દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com – વેબગુર્જરી સંપાદન સમિતિ , પદ્ય સાહિત્ય સમિતિ વતી.)
તારે જબરી મજા !
હુ છું અડધો નાગો તારે છપ્પન ગજની ધજા !
તારે ભીડ પડી ત્યારે તું મથુરા મૂકી નાઠો,
અટ્ક્યો અંતે ત્યાં જઈને, જ્યાં આવ્યો દરિયાકાંઠો,
મારે તો હું જ્યાં છું ત્યાંને ત્યાં રહેવાની સજા !
તારે જબરી મજા !
નહીં દ્વારકાનો કેવળ, તું આખા જગનો ધણી,
જગા એટલી નહીં મારે કે મૂકું સોયની અણી,
કેવો તું છે રાજા, હું છું કેવી તારી પ્રજા !
તારે જબરી મજા…
– જગદીશ વ્યાસ